મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી


SHARE







મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી

મોરબી શહેરમાં આજે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રા નીકળી હતી ત્યારે જાણીતા યુટ્યુબર ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની પણ ત્યારે હાજર રહ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કરતા હતા અને  મોરબીમાં સૌથી મોટું અરવિંદભાઇ બારૈયા અને તેની ટીમ દ્વારા "સિદ્ધિ વિનાયક કા રાજા" ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં દાદાના દર્શન અને આરતીનો હજારો લોકોએ લાભ પણ લીધો હતો ત્યારે ભારે હૈયે દાદાને વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન યાત્રામાં ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે હાજર રહ્યા હતા અને માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના આગેવાનો પણ ત્યાં હાજર હતા અને તેની હાજરીમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રાની છેલ્લી મહાઆરતી યોજાઇ હતી.આ તકે ગણેશજીને વિદાય આપવા અને પોતાના પ્રિય "ખજૂર" ઉર્ફે નીતિનભાઈ જાનીને જોવા માટે હૈયેહૈયુ દળાય તેટલી જનમેદની ઉંમટી પડી હતી.






Latest News