મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી


SHARE









મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી

મોરબી શહેરમાં આજે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રા નીકળી હતી ત્યારે જાણીતા યુટ્યુબર ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની પણ ત્યારે હાજર રહ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કરતા હતા અને  મોરબીમાં સૌથી મોટું અરવિંદભાઇ બારૈયા અને તેની ટીમ દ્વારા "સિદ્ધિ વિનાયક કા રાજા" ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં દાદાના દર્શન અને આરતીનો હજારો લોકોએ લાભ પણ લીધો હતો ત્યારે ભારે હૈયે દાદાને વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન યાત્રામાં ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે હાજર રહ્યા હતા અને માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના આગેવાનો પણ ત્યાં હાજર હતા અને તેની હાજરીમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રાની છેલ્લી મહાઆરતી યોજાઇ હતી.આ તકે ગણેશજીને વિદાય આપવા અને પોતાના પ્રિય "ખજૂર" ઉર્ફે નીતિનભાઈ જાનીને જોવા માટે હૈયેહૈયુ દળાય તેટલી જનમેદની ઉંમટી પડી હતી.






Latest News