મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોંઘવારી મુદે કોંગ્રેસે આપેલા આંશિક બંધના એલાનને મોરબી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદઃ લલીતભાઇ કગથરા સહિતના હાજર રહ્યા


SHARE









મોંઘવારી મુદે કોંગ્રેસે આપેલા આંશિક બંધના એલાનને મોરબી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદઃ લલીતભાઇ કગથરા સહિતના હાજર રહ્યા

વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તા ૧૦ ના રોજ મોંઘવારીના મુદે અડધો દિવસ બંધનું એલાન કર્યું હતુ જેથી મોરબી શહેર અને જિલ્લાના લોકો અડધો દિવસ ગુજરાત બંધમાં જોડાયા હતા અને લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા માટે મોરબી જિલ્લામાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને મોરબીની બજારો બંધ હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતા એક અગત્યના કોંગ્રેસના આગેવાનો મોરબીની મુખ્ય બજારોમાં હાજર રહ્યા હતા.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જંયતીલાલ પટેલે જણાવ્યુ છે કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ભારત અને ગુજરાતમાં ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન છે. અને પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ હાલમાં આસમાને પહોચ્યા છે ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ અને મોંઘવારી ચરમ સીમાએ છે. ત્યારે લોકોને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દૂધ, દહીં, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવીને લોકોને વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને પ્રજા વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ (આંશિક બંધ)નું એલાન કરવામાં આવ્યું હતું તેમાં સ્વયંભૂ રીતે વેપારીઓ જોડાયા હતા અને મોરબી શહેર અને જિલ્લાની મુખ્ય બજારોમાં મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી જેથી કરીને કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને મોરબી શહેર અને જિલ્લામાં જોવા મળ્યો હતો તેવું કહીએ તો તેમાં આદ્યશક્તિ નથી આજે જ્યારે મોરબીની બજારો બંધ હતી ત્યારે મહેશભાઈ રાજ્યગુરુ, મુકેશભાઈ ગામી, દેવજીભાઈ પરેચા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ચૌહાણ, ચેતનભાઇ એરવાડીયા, કે.ડી. પડસુંબિયા, રાજુભાઈ કાવર, કે.ડી. બાવરવા, ચિંતન રાજ્યગુરુ, રમેશભાઈ રબારી સહિતના આગેવાનો અને કાર્યકરો જુદાજુદા વિસ્તારમાં હાજર રહ્યા હતા.






Latest News