મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત


SHARE







ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત

ગાંધીધામના યુવાન ઉલટી અને પેટમાં દુખાવો થતાં સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેને હાર્ટએટેક આવી જતા તેનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ગાંધીધામના રહેવાસી યોગેશભાઈ કુમારભાઈ યાદવ ઉંમર વર્ષ ૪૦ ને ઉલટી અને પેટમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર ચાલુ હતી દરમિયાન તેને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને મૃતક યુવાનના વાલી વારસ નથી જેથી હાલમાં વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર ના રણજીતનગરમાં ભારત ઓઇલ મીલ પાછળના ભાગમાં રહેતા પરસોતમભાઈ મેરૂભાઈ સરાવાડીયા (ઉંમર વર્ષ ૬૨) વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા દરમિયાન તેઓને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું જેથી કરીને બનાવની વાંકાનેર સિટી પોલીસે જાહેર કરવામાં આવી હતી.

વરલી જુગાર

વાંકાનેરમાં સ્ટેચ્યુ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી સોયેબ ઉર્ફે સોયબો આદમભાઇ રવાણી જાતે મતવા (૩૨) રહે. દીવાનપરા ઇદ મસ્જીદવાળી શેરી વાંકાનેર અને રમેશભાઇ તેજાભાઇ ગોરીયા જાતે કોળી (૫૪) રહે. આરોગ્યનગર મફતીયાપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જ અત્યારે ને પોલીસે તેઓની પાસેથી રોકડા ૨૭૮૦ તેમજ ૭૦૦૦ ના બે મોબાઇલ આમ કુલ મળીને ૯૭૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News