મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત


SHARE









ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત

ગાંધીધામના યુવાન ઉલટી અને પેટમાં દુખાવો થતાં સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેને હાર્ટએટેક આવી જતા તેનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ગાંધીધામના રહેવાસી યોગેશભાઈ કુમારભાઈ યાદવ ઉંમર વર્ષ ૪૦ ને ઉલટી અને પેટમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર ચાલુ હતી દરમિયાન તેને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને મૃતક યુવાનના વાલી વારસ નથી જેથી હાલમાં વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર ના રણજીતનગરમાં ભારત ઓઇલ મીલ પાછળના ભાગમાં રહેતા પરસોતમભાઈ મેરૂભાઈ સરાવાડીયા (ઉંમર વર્ષ ૬૨) વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા દરમિયાન તેઓને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું જેથી કરીને બનાવની વાંકાનેર સિટી પોલીસે જાહેર કરવામાં આવી હતી.

વરલી જુગાર

વાંકાનેરમાં સ્ટેચ્યુ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી સોયેબ ઉર્ફે સોયબો આદમભાઇ રવાણી જાતે મતવા (૩૨) રહે. દીવાનપરા ઇદ મસ્જીદવાળી શેરી વાંકાનેર અને રમેશભાઇ તેજાભાઇ ગોરીયા જાતે કોળી (૫૪) રહે. આરોગ્યનગર મફતીયાપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જ અત્યારે ને પોલીસે તેઓની પાસેથી રોકડા ૨૭૮૦ તેમજ ૭૦૦૦ ના બે મોબાઇલ આમ કુલ મળીને ૯૭૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News