મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા


SHARE







મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમના દિવસે બહેનોને પ્રસાદ અને સ્નાન,દર્શન સહિતની સુવિધા કરવામાં આવી હતી જેનો ઘણી બહેનોએ લાભ લીધો હતો ત્યાર બાદ ભાદરવી અગિયારસના રોજ મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં યજ્ઞ,પ્રસાદ,ભજન તેમજ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રામદેવપીરને નેજો ચડાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોએ લાભ લીધો તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે. તો મોરબીના જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યા ગામ ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને શ્રી રામદેવપીર મારાજનો વરધોડો ગાજતે વાજતે નીકળ્યો હતો અને આ તકે જીવાપર (ચ) સરપંચ રાયમલભાઈ, ગૌતમભાઈ, રસિકભાઈ, રાજેશભાઈ તથા અલખધણી ગ્રુપ જીવાપર (ચ)ના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી






Latest News