મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમના દિવસે બહેનોને પ્રસાદ અને સ્નાન,દર્શન સહિતની સુવિધા કરવામાં આવી હતી જેનો ઘણી બહેનોએ લાભ લીધો હતો ત્યાર બાદ ભાદરવી અગિયારસના રોજ મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં યજ્ઞ,પ્રસાદ,ભજન તેમજ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રામદેવપીરને નેજો ચડાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોએ લાભ લીધો તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે. તો મોરબીના જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યા ગામ ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને શ્રી રામદેવપીર મારાજનો વરધોડો ગાજતે વાજતે નીકળ્યો હતો અને આ તકે જીવાપર (ચ) સરપંચ રાયમલભાઈ, ગૌતમભાઈ, રસિકભાઈ, રાજેશભાઈ તથા અલખધણી ગ્રુપ જીવાપર (ચ)ના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી






Latest News