મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી


SHARE











વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે ખેડૂતોના ખેતરોએ મૂકવામાં આવેલ વીજ મોટરો ચાલુ કરવા માટે થઈને પાથરવામાં આવેલા વીજ વાયરોની ચોરી કરવામાં આવતી હોય છે આવી જ ઘટના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં બની છે અને મેસરિયા ગામના છ જેટલા ખેડૂતોના ખેતરોમાં વીજ મોટર ચાલુ કરવા માટે પાથરવામાં આવેલ વીજ વાયરોની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે જોકે હજુ આ મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભોલાભાઈ હીરાભાઈ પરમાર, માવજીભાઈ દાનાભાઈ ચાવડા, યાકુબભાઈ સાજીદભાઈ સેરસીયા, અનસભાઈ નુરમામદભાઈ સેરસીયા, મામદભાઈ અમીનભાઇ વડાવીયા અને રામભાઈ માનસૂરભાઈ બાબરીયાના ગામની સીમમાં ખેતરો આવેલા છે અને પોતાના ખેતર સુધી વીજ પુરવઠો લઈ જવા માટે અને ત્યાં મૂકવામાં આવેલ વીજ મોટરોને ચાલુ કરવા માટે થઈને વીજ લાઈન પાથરવામાં આવી હતી આ વીજ વાયરની ગત ગુરુવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે અને અંદાજે 25 થી 30 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી કરવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની ભોગ બનેલા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી પહોંચી હતી તેમ છતાં હજુ સુધી ચોરીના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે






Latest News