કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાશે


SHARE







વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા જડેશ્વર સ્વયંભુ (રતન ટેકરી) વાંકાનેરના સાનિધ્યમાં ગાયોના લાભાર્થે સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ(ખાખરાળા) નાયક સ્વ.હરીલાલ કાનજીભાઈ ના મંડળ દ્વારા તા. ૨૧ ને રવિવારે રાત્રે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું છે જેનો લાભ લેવા સંચાલક તથા જડેશ્વર મહંત દ્વારા ગૌપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌ સેવાના લાભાર્થે કોરોના કાળના બે વર્ષ બાદ ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમ રાખેલ છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક ભવાઈ ખાખરાળાના વ્યાસ સ્વ. હરીભાઇ કાનજીભાઇના "સ્વામી વિવેકાનંદ-ભવાઇ મંડળના કલાકારો રજૂ કરશે અને ત્યારે શ્રી જડેશ્વર દાદાનો મુજરો" રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમ રવિવાર તા. ૨૧ ના રોજ રાતે ૧૦ વાગ્યે શરૂ થશે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે






Latest News