તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા


SHARE











ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા

રાજયભરમાં ગૌધન ગૌવંશમાં લમ્પી વાયરસ ફેલાવવાથી ગાયોનું મરણ આંક વધી રહ્યો છે. ત્યારે તેની ચિંતા સેવતા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ગુજરાતભરના પશુધનમાં લમ્પી વાયરસ ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ ૫.૩૪ લાખ જેવુ ગૌધન કચ્છમાં છે અને ૧.૫૦ લાખ જેવા ગૌધન બચાવ માટે રસીકરણ થયેલ છે. હાલમાં ૭૦ થી ૭૨ તબીબી ટીમો, સ્વયંમ સેવકોને સાથે લઈ રાઉન્ડ ધ ક્લોક સેવા આપે છે.

આ બાબતે કોર કમિટી બેઠકમાં પણ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત બધાને રજુઆત કરેલ છે. ગાયોનું રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો ૭૦ થી વધારી ૧૫૦ કરવામાં આવે અને વધુને વધુ પશુવાનની પણ આવશ્યકતા છે. આ બાબતે પશુપાલકો, જન પ્રતિનિધિઓ ગૌશાળા સંચાલકોની રજુઆતોને લઈ આજે પણ પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલને પત્ર લખી વાસ્તવિક પરિસ્થિતી દર્શાવી છે. વધુ તબીબી ટીમો, ૧૦૦ ટકા રસીકરણ, જન જાગૃતી અને સાવચેતીના પગલા ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર પ્રસાર થાય જેથી વધુ પશુઓ આ વાયરસથી બચાવી શકાય તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.






Latest News