મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા


SHARE











ગુજરાતમાં ગૌવંશમાં પ્રસરાયેલી લમ્પી વાયરસને રોકવા માટે ૧૦૦ ટકા રસીકરણ કરો: વિનોદ ચાવડા

રાજયભરમાં ગૌધન ગૌવંશમાં લમ્પી વાયરસ ફેલાવવાથી ગાયોનું મરણ આંક વધી રહ્યો છે. ત્યારે તેની ચિંતા સેવતા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના જાગૃત સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ગુજરાતભરના પશુધનમાં લમ્પી વાયરસ ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ ૫.૩૪ લાખ જેવુ ગૌધન કચ્છમાં છે અને ૧.૫૦ લાખ જેવા ગૌધન બચાવ માટે રસીકરણ થયેલ છે. હાલમાં ૭૦ થી ૭૨ તબીબી ટીમો, સ્વયંમ સેવકોને સાથે લઈ રાઉન્ડ ધ ક્લોક સેવા આપે છે.

આ બાબતે કોર કમિટી બેઠકમાં પણ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત બધાને રજુઆત કરેલ છે. ગાયોનું રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો ૭૦ થી વધારી ૧૫૦ કરવામાં આવે અને વધુને વધુ પશુવાનની પણ આવશ્યકતા છે. આ બાબતે પશુપાલકો, જન પ્રતિનિધિઓ ગૌશાળા સંચાલકોની રજુઆતોને લઈ આજે પણ પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલને પત્ર લખી વાસ્તવિક પરિસ્થિતી દર્શાવી છે. વધુ તબીબી ટીમો, ૧૦૦ ટકા રસીકરણ, જન જાગૃતી અને સાવચેતીના પગલા ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર પ્રસાર થાય જેથી વધુ પશુઓ આ વાયરસથી બચાવી શકાય તેમ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.






Latest News