મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા સુરજી ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત


SHARE











ટંકારાના નેસડા (સુરજી) ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની પંદર વર્ષીય સગીરાને વાડીમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલ નેસડા (સુરજી) ગામે પ્રભુભાઈ જીવાણીની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની રોશનીબેન નટુભાઈ ચૌહાણ જાતે આદિવાસી ભીલ નામની ૧૫ વર્ષીય સગીરાને ગત મોડી રાત્રીના વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નિપજયુ હતુ.જેથી તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસ મથકના વસંતભાઈ વઘેરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ વોટેરો સેનેટરી નજીક રહેતા મગનભાઈ નાડિયાનો નવ વર્ષીય પુત્ર પરેશ પોતાના પિતાની પાછળ બાઈકમાં બેસીને જતો હતો ત્યારે ગતરાત્રીના દશેક વાગ્યાના અરસામાં જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે તે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઈજાઓ થતાં પરેશ મગનભાઇ (ઉમર ૯) ને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ નજીક ઓશીયન સીરામીક પાસે કામ દરમિયાન ગઈકાલે ઝેરી જનાવર કરડી જવાથી મનોજભાઈ રામલગનભાઈ યાદવ નામના ૩૫ વર્ષના મજૂર યુવાનને અત્રેની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરની શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન કિશનભાઇ ગોહિલ નામની ૨૫ વર્ષીય પરણીતાને તેની સાસરીમાં મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી રિદ્ધિબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News