મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા સુરજી ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત


SHARE











ટંકારાના નેસડા (સુરજી) ગામે વાડીમાં ઝેરી જનાવર કરડી જતા યુવતીનું મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે રહેતા અને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની પંદર વર્ષીય સગીરાને વાડીમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેણીનું મોત નીપજ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકામાં આવેલ નેસડા (સુરજી) ગામે પ્રભુભાઈ જીવાણીની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા આદિવાસી પરિવારની રોશનીબેન નટુભાઈ ચૌહાણ જાતે આદિવાસી ભીલ નામની ૧૫ વર્ષીય સગીરાને ગત મોડી રાત્રીના વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મોત નિપજયુ હતુ.જેથી તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસ મથકના વસંતભાઈ વઘેરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ વોટેરો સેનેટરી નજીક રહેતા મગનભાઈ નાડિયાનો નવ વર્ષીય પુત્ર પરેશ પોતાના પિતાની પાછળ બાઈકમાં બેસીને જતો હતો ત્યારે ગતરાત્રીના દશેક વાગ્યાના અરસામાં જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે તે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઈજાઓ થતાં પરેશ મગનભાઇ (ઉમર ૯) ને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.

ઝેરી જનાવર કરડી જતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ નજીક ઓશીયન સીરામીક પાસે કામ દરમિયાન ગઈકાલે ઝેરી જનાવર કરડી જવાથી મનોજભાઈ રામલગનભાઈ યાદવ નામના ૩૫ વર્ષના મજૂર યુવાનને અત્રેની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઇજા

વાંકાનેરની શિવપાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન કિશનભાઇ ગોહિલ નામની ૨૫ વર્ષીય પરણીતાને તેની સાસરીમાં મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી રિદ્ધિબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News