મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?


SHARE











મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?

થોડા સમય પહેલા વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વ જ્ઞાતિનું સંમેલન રાખવામા આવ્યું હતું તેના સ્થળની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ(નાત જમણ) નું આયોજન કરવામાં આવ્યું હતી અને તા ૧૭ ના રોજ આ કાર્યક્રમ યોજાવાનો હતો જો કે, તે તારીખ નિશ્ચિત છે પરંતુ સ્થળમા ફેરફાર કરવામાં આવેલ છે અને રઘુવંશી સમાજનુ નાત જમણ રદ કરાવવાની નીચ ચેષ્ઠા કરનારા લોકોને સમસ્ત ગુજરાતનો રઘુવંશી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ માટે આગામી તા.૧૭-૭ રવિવારના રોજ મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદનુ આયોજન લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે  કરવામા આવ્યુ હતુ. પરંતુ રાજકીય નીચતા ધરાવતા લોકો દ્વારા કેશવ પાર્ટી પ્લોટના સંચાલકો પર દબાણ લાવી સંમેલન રદ કરવવાનુ  હીન કૃત્ય કરવામા આવ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજના આગેવાનો લાલઘુમ થયા છે. અને સંમેલન તા.૧૭-૭ ને રવીવારના રોજ મોરબી ખાતે જ યોજાશે. અને સંમેલન તથા મહાપ્રસાદનુ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર ગામ ખાતે યોજવાનુ નિર્ધારીત કરવામા આવ્યુ છે

આ સંમેલન કોઈ એક વ્યક્તિ વિશેષ નથી યોજાવાનુ, સમસ્ત રઘુવંશી સમાજના નાતજમણનુ આયોજન છે. પરંતુ રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકો દ્વારા કરવામા આવેલ હીન કૃત્ય રઘુવંશી સમાજ ક્યારેય સાંખી નહીં લે. આ સંમેલન યોજાઈને જ રહેશે અને રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકોને જળબાતોડ જવાબ આપવા ગામેગામથી રઘુવંશી સમાજના આગેવાનોને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાન કરવામા આવેલ છે. તેવું રામધામના પ્રણેતા અને લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ છે






Latest News