મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?


SHARE











મોરબીમાં પણ વાંકાનેર વાળી થઈ !: રઘુવંશી મહાસંમેલન રદ કરાવવા કાવાદાવા ?

થોડા સમય પહેલા વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા સર્વ જ્ઞાતિનું સંમેલન રાખવામા આવ્યું હતું તેના સ્થળની મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ(નાત જમણ) નું આયોજન કરવામાં આવ્યું હતી અને તા ૧૭ ના રોજ આ કાર્યક્રમ યોજાવાનો હતો જો કે, તે તારીખ નિશ્ચિત છે પરંતુ સ્થળમા ફેરફાર કરવામાં આવેલ છે અને રઘુવંશી સમાજનુ નાત જમણ રદ કરાવવાની નીચ ચેષ્ઠા કરનારા લોકોને સમસ્ત ગુજરાતનો રઘુવંશી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજ માટે આગામી તા.૧૭-૭ રવિવારના રોજ મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદનુ આયોજન લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે  કરવામા આવ્યુ હતુ. પરંતુ રાજકીય નીચતા ધરાવતા લોકો દ્વારા કેશવ પાર્ટી પ્લોટના સંચાલકો પર દબાણ લાવી સંમેલન રદ કરવવાનુ  હીન કૃત્ય કરવામા આવ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજના આગેવાનો લાલઘુમ થયા છે. અને સંમેલન તા.૧૭-૭ ને રવીવારના રોજ મોરબી ખાતે જ યોજાશે. અને સંમેલન તથા મહાપ્રસાદનુ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર ગામ ખાતે યોજવાનુ નિર્ધારીત કરવામા આવ્યુ છે

આ સંમેલન કોઈ એક વ્યક્તિ વિશેષ નથી યોજાવાનુ, સમસ્ત રઘુવંશી સમાજના નાતજમણનુ આયોજન છે. પરંતુ રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકો દ્વારા કરવામા આવેલ હીન કૃત્ય રઘુવંશી સમાજ ક્યારેય સાંખી નહીં લે. આ સંમેલન યોજાઈને જ રહેશે અને રઘુવંશી સમાજનુ પતન ઈચ્છતા લોકોને જળબાતોડ જવાબ આપવા ગામેગામથી રઘુવંશી સમાજના આગેવાનોને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાન કરવામા આવેલ છે. તેવું રામધામના પ્રણેતા અને લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીએ જણાવ્યુ છે






Latest News