મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ


SHARE











મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પ્રીમોનસુન કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે જેના કારણે સામાન્ય લોકોથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના તમામ લોકો વીજ કંપનીથી ત્રાહિમામ પોકારી ગયા છે ખાસ કરીને સિરામિક ઉદ્યોગ ૨૪ કલાક ચાલુ રહે છે તો પણ વીજ પુરવઠો ત્યાં નિયમિત રીતે આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ફટકો પડે છે.

મોરબી જીલ્લામાં પ્રિમોન્સુન કામગીરી અગાઉ સંપ્પન થઇ ગઈ હોવા છતાં વીજતંત્રએ સિરામીક ઝોનમાં ૧૨  કલાકથી વીજ પુરવઠો આપેલ ન હતો જેથી સીરામીક ઉદ્યોગ ચાલુ રાખવા ઉદ્યોગકારોને મોંઘાભાવનું ડીઝલ બાળી જનરેટર આધારે કારખાના ચાલુ રાખવા પડ્યા હતા અને વીજતંત્રની બેદરકારીના લીધે ઉદ્યોગકારોને નુકશાન થયું હતું જેથી કરીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મોરબી હળવદ રોડ, પીપળી રોડ, માટેલ રોડ સહિતના સિરામીક ઝોનમા ૧૨ કલાકથી વધુ સમયથી પાવર કાપી નાખવામાં આવતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો હતો અને અચાનક વીજપુરવઠો કાપી નાખવામાં આવતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી નુકશાની આવેલ છે વધુમાં સિરામીક ઉદ્યોગકારોએ જણાવ્યુ હતું કે, બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરાઈથી જવાબ આપે છે. જેના કારણે ઉધોગોને મોટી નુકશાની સહન કરવી પડે છે 






Latest News