મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ


SHARE











મોરબીમાં સામાન્ય નાગરિકથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના વીજ કંપનીથી ત્રાહિમામ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પ્રીમોનસુન કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે જેના કારણે સામાન્ય લોકોથી લઈને સિરામીક ઉદ્યોગકાર સુધીના તમામ લોકો વીજ કંપનીથી ત્રાહિમામ પોકારી ગયા છે ખાસ કરીને સિરામિક ઉદ્યોગ ૨૪ કલાક ચાલુ રહે છે તો પણ વીજ પુરવઠો ત્યાં નિયમિત રીતે આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો ફટકો પડે છે.

મોરબી જીલ્લામાં પ્રિમોન્સુન કામગીરી અગાઉ સંપ્પન થઇ ગઈ હોવા છતાં વીજતંત્રએ સિરામીક ઝોનમાં ૧૨  કલાકથી વીજ પુરવઠો આપેલ ન હતો જેથી સીરામીક ઉદ્યોગ ચાલુ રાખવા ઉદ્યોગકારોને મોંઘાભાવનું ડીઝલ બાળી જનરેટર આધારે કારખાના ચાલુ રાખવા પડ્યા હતા અને વીજતંત્રની બેદરકારીના લીધે ઉદ્યોગકારોને નુકશાન થયું હતું જેથી કરીને ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મોરબી હળવદ રોડ, પીપળી રોડ, માટેલ રોડ સહિતના સિરામીક ઝોનમા ૧૨ કલાકથી વધુ સમયથી પાવર કાપી નાખવામાં આવતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો હતો અને અચાનક વીજપુરવઠો કાપી નાખવામાં આવતા સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી નુકશાની આવેલ છે વધુમાં સિરામીક ઉદ્યોગકારોએ જણાવ્યુ હતું કે, બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરાઈથી જવાબ આપે છે. જેના કારણે ઉધોગોને મોટી નુકશાની સહન કરવી પડે છે 






Latest News