મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત


SHARE











મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત

મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે વીજ પોલ ઉપર ડીસ કનેક્શનના વાયરના રીપેરીંગ કામ માટે ચઢેલા યુવાનને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે નિશાળ વાળી શેરીમાં હિતેશભાઈ રામૈયાભાઈ કુંભરવાડિયા (૪૫) રહે. મીતાણા ગામ વાળો ડીસ કનેક્શનનો ધંધો કરતો હોય કૃષ્ણનગર ગામે ડીસ કનેક્શનના વાયર રીપેરીંગ કામ માટે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ચડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને વીજશોક લાગવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News