મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર


SHARE











માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર

મોરબી માળીયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી હતી ત્યારે લોકોનો ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને ઘણા લોકો આપમાં જોડાયા પણ હતા ત્યારે માળીયા શહેરમાં રેલી અને બાદમાં જસાપર ગામે જન સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ગામના આગેવાન તેમજ માળિયા તાલુકા પ્રમુખ હીરાભાઈ કાનગડ સહિતના ગામના લોકોએ યાત્રાને ઉમેળકાભેર આવકારી હતી અને ગામના ચોરે રામજી મંદિર ખાતે નેતાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે આમ આદમી પાર્ટી કૈલાશભાઈ ગઢવી, રાજુભાઇ કરપડા, ગોવિંદભાઇ વાલાણી, શિવાજીભાઈ ડાંગર, વસંતભાઈ ગોરીયા સહિત હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, નાની વાવડી ગામે રાત્રીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઘણા ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

નિવૃત પોલીસ કર્મચારી આપમાં જોડાયા

મોરબી જીલ્લામાં પરીવર્તન યાત્રા સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના આવ્યા હતા ત્યારે જીલ્લા પ્રભારી શિવાજી ડાંગર, જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના જશાપર ગામના વતની અને નિવૃત પોલીસ કર્મચારી હીરાભાઈ નારસંગભાઈ કાનગડ માળિયા તાલુકા પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે






Latest News