બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર


SHARE











માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર

મોરબી માળીયા વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી હતી ત્યારે લોકોનો ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને ઘણા લોકો આપમાં જોડાયા પણ હતા ત્યારે માળીયા શહેરમાં રેલી અને બાદમાં જસાપર ગામે જન સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ગામના આગેવાન તેમજ માળિયા તાલુકા પ્રમુખ હીરાભાઈ કાનગડ સહિતના ગામના લોકોએ યાત્રાને ઉમેળકાભેર આવકારી હતી અને ગામના ચોરે રામજી મંદિર ખાતે નેતાઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે આમ આદમી પાર્ટી કૈલાશભાઈ ગઢવી, રાજુભાઇ કરપડા, ગોવિંદભાઇ વાલાણી, શિવાજીભાઈ ડાંગર, વસંતભાઈ ગોરીયા સહિત હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, નાની વાવડી ગામે રાત્રીના જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઘણા ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

નિવૃત પોલીસ કર્મચારી આપમાં જોડાયા

મોરબી જીલ્લામાં પરીવર્તન યાત્રા સાથે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના આવ્યા હતા ત્યારે જીલ્લા પ્રભારી શિવાજી ડાંગર, જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના જશાપર ગામના વતની અને નિવૃત પોલીસ કર્મચારી હીરાભાઈ નારસંગભાઈ કાનગડ માળિયા તાલુકા પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે






Latest News