મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ


SHARE











મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ

મોરબી જીલ્લામાં બીજા રાજ્યમાંથી ઘણા મજૂરો રોજગારી માટે આવે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર અને માળીયામાં ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તેવી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદે દ્વારા  રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં રોજગાર માટે ઘણા લોકો આવે છે તેને વાંકાનેર અને માળીયા તાલુકામાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પસાર થાય છે જો કે તેને રોકવામાં આવતી નથી જેથી કરીને તેને ત્યાં સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરેલ છે જેમાં ખાસ કરીને ઓખા, હાપા, સોમનાથ સહિતની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો મુસાફરની સુવિધા વધે તેમ છે જો કે, આ માંગણીને ધ્યાને લાવીને તેનું નિરાકરણ નહીં લવાવવામાં આવે તો રેલ રોકોઆંદોલન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News