મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન


SHARE







મોરબીના શનાળા અને મહેન્દ્રનગર ગામે રામામંડળના આયોજન

મોરબીના શકત શનાળા ગામે તેમજ મહેન્દ્રનગર ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વલમજીભાઈ ત્રિકમજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮-૬ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તે રીતે જ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પણ ગોરધનભાઈ વશરામભાઈ બાવરવા અને રાજેશ ગોરધનભાઈ બાવરવાના પરિવાર દ્વારા આવતી કાલ તા.૨૯ ને રવિવારના રોજ મહેન્દ્રનગર ગામે કાના બાપાના પ્લોટ, ઉમિયા ગરબીચોક હનુમાન મંદિર પાછળ રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ-નેકનામના દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાવાનો હોય ઉપરોક્ત બંને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News