મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ૬.૩૩ લાખની બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલને અમદાવાદના એક વ્યક્તિએ ૬.૩૩ લાખનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ કેસ કરવામાં આવ્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમ તથા ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની માહિતી મુજબ મોરબીની ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ વતી તેના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદના રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ સામે મોરબીની કોર્ટમાં ૬,૩૩,૨૫૧ નો ચેક રીર્ટન થયો હોવાની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કરી હતી. જે કેસ મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ.એન. વોરાની સમક્ષ ચાલી જતાં ફરીયાદીના વકીલ દ્વારા કરાયેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઈને આરોપી રત્નીવીર જવરામ શુકલ રહે. અમદાવાદ વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ કરવામાં આવેલ છે તેમજ દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ ચૂકવવાનો આદેશ કરવાં આવેલ છે અને જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી પક્ષે વકીલ ચિરાગભાઈ ડી. કારીઆરવીભાઈ કે. કારીયાજગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.






Latest News