મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE











મોરબીમાં લાયન્સનગર પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષક-વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષક સુમનબાળા જયંતીલાલ મહેતા કે, જેઓ સેવા, સમર્પણ અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હતા. તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ ધો.૮ ના વિદ્યાર્થીઓ કે, જેઓ અહીંની શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે બીજી શાળામાં જવાના છે. તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમના અંતે સ્મૃતિ ચિન્હ આપી વિદાય આપવામાં આવી હતી.






Latest News