મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ


SHARE











મોરબીના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી તાલુકાના રાપર ગામે દસાડીયા પરિવાર દ્વારા શુક્રવારથી ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છેલ્લા દિવસ દરમ્યાન યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવશે તેમજ રાત્રિના સમયે આરએસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સંતો-મહંતો, આગેવાનો સહિતના લોકો હાજરી આપશે

મોરબી તાલુકાના રાપર તથા સુલતાનપુર ગામે રહેતા દસાડિયા પરિવાર દ્વારા રાપર ગામે ત્રિદિવસીય મંદિરમાં મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં કાર્યક્રમોની વણઝાર પણ રાખવામાં આવે છે ત્યારે માતાજી જગદંબા, ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજની મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે મોરબી નાની વાવડી ગામે આવેલ કબીરધામના મહંત શિવરામદાસજી હાજર રહેશે, તા. ૮ ના રોજ લજાઇના મહંત રંજનરામ માતાજી અને સાથે મહંત મુન્નાબાપુ (સુસવાવ) પણ હાજરી આપશે તેવું જાણવા મળેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, તા ૬ ની રાત્રે રાપર અને સુલતાનપુર ગામનું મંડળ રાસ-ગરબાની રમઝટ બોલાવશે તા ૭ના રોજ રાત્રીના સમયે રાસ ગરબામાં સંગીતાબેન મકવાણા અને કૈલાસ પૂરી જમાવટ કરશે તો તા.૮ ના રોજ રાતે ૯ વાગ્યે હરખના માંડવાનું આયોજન કર્યું છે જેમાં ડાકના કલાકાર નારણભાઈ રાવલ (સુરેન્દ્રનગર) હાજર રહેવાના છે આ કાર્યક્રમની અંદર હાજર રહેવા માટે દસાડીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News