મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને


SHARE











મોરબીમાં પાલિકા સંચાલિત નંદીઘરમાં ઘાસચારો પહોચડવા ભારત વિકાસ પરિષદની ટીમ મેદાને

મોરબી નગરપાલિકા દ્વારા સંચાલિત પંચાસર રોડ પર આવેલ નંદી ઘરમાં શહેરમાં રખડતાં આસરે ૨૨૦૦ જેટલા આખલા અને ખુટીયા પકડીને  રાખવામાં આવેલ છે. પરંતુ તેના ચાર અને પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી ફક્ત સરકાર કે નગરપાલિકાની નહીં પણ મોરબીના તમામ લોકોની છે ત્યારે આપણી સૌની સહિયારી ફરજ સમજીને સારી રીતે અબોલજીવને પુરતો ખોરાક મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા લોકોને સહયોગ આપવા માટે અપીલ કારમાં આવી છે

વધુમાં જણાવ્યુ છે કે, અહી એક દિવસમાં ૯૦૦ મણ લીલો ઘાસચારો જોઈએ છે જેના માટે દૈનિક ૭૮૦૦૦ નો ખર્ચ થાય છે અને ઉનાળામાં લીલો ઘાસચારો મળી રહે તે માટે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ગૌવંશ માટે પરીષદના સભ્યો તથા દાતાઓના સહયોગથી ફાળો એકત્ર કરી ઘાસચારો નાખવાનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેતે વ્યક્તિને યોગ્ય લાગે તેટલાં રૂપિયાનું અનુદાન એક અઠવાડિયામાં એટલે કે તા ૪ સુધીમાં આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે અને આ અનુદાન ભારત વિકાસ પરિષદની મોરબી શાખાના ડો જયેશભાઈ પનારા (૯૮૨૫૬૨૧૩૧૪), મંત્રી અશ્વિનભાઈ રાઠોડ (૯૭૨૬૯૨૧૩૮૪) તેમજ કાર્યક્રમ સંયોજક પરેશભાઈ મિયાત્રા (૯૯૭૯૯૬૦૪૮૮) અને પંકજભાઈ ફેફરનો સંપર્ક કરીને આપવાનો રહેશે અને તા ૭ ના રોજ એકત્રિત થયેલ રકમમાંથી ઘાસચારો આપવામાં આવશે






Latest News