મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયાર: શોભાયાત્રા-મહાપ્રસાદ સહિતનું આયોજન

મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રૂપ અને સમસ્ત બ્રહ્મ સમાજની જુદીજુદી પાંખો દ્વારા ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારઑ કરવામાં આવી રહી છે અને શોભાયાત્રા, રસ ગરબા, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા.૩ ને અખાત્રીજના દિવસે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે પરશુરામ યુવા ગૃપ અને સમસ્ત બ્રહ્મસમાજની જુદીજુદી પાંખો દ્વારા હાલમાં આ ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે તા ૨ ના રોજ રાતે પરશુરામ ધામ ખાતે દાંડીયા રાસ રાખવામા આવેલ છે અને તા ૩ ના રોજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડે આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યાં મહાઆરતી તેમજ મહાપ્રસદનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવ પરિવારોને આ કાર્યક્ર્મમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નીરજભાઈ ભટ્ટે જણાવ્યુ છે.






Latest News