વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણ ગામનાં એટ્રોસીટીનાં કેસમાં આરોપીનો નિર્દોષ છટકારો


SHARE











મોરબીના ગુંગણ ગામનાં એટ્રોસીટીનાં કેસમાં આરોપીનો નિર્દોષ છટકારો

મોરબી તાલુકાનાં ગુંગણ ગામની સીમનાં ૫ વિધા જમીનની મુખ્ય તકરારમાં ફરીયાદી જગજીવન લક્ષ્મણભાઈ જાદવએ ગુંગણ ગામનાં ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજા સામે આઈપીસીની કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧) આરએસ ૩(૨)(૫-એ) તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૭-૧૧-૨૦૧૭ ના રોજ ફરીયાદ કરી હતી.

જે કેસ મોરબીનાં સેકન્ડ સેસન્સ જજ (સ્પે.એટ્રોસીટી કોર્ટ) સી.જી.મહેતાની કોર્ટ-મોરબીમાં ચાલતા ધર્મેન્દ્રસિંહ મીઠુભા જાડેજા તરફે મોરબીનાં સીનીયર એડવોકેટ વિજયભાઈ કે.ચાવડા (વિ.કે.ચાવડા) તથા ભરતભાઈ કે.ચાવડા રોકાયેલા હતા.જેમાં ફરીયાદી તથા તપાસ કરનાર પોલીસ અધિકારી ડીસીપી તેમજ અન્ય ૧૦ સાહેદોની જુબાની થયેલી અન્ય દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ કરાયા હતા.કોર્ટમાં ડી.એમ.જાડેજા વતી રોકાયેલા સીનીયર એડવોકેટ વિજયભાઇ ચાવડા તથા એડવોકેટ બી.કે.ચાવડા તરફથી કરવામાં આવેલ દલીલો તેમજ ગુજરાત હાઇકોર્ટ, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઓથોરીટી પણ રજૂ થયેલી.જે કેસ ચાલતા તા.૨૨-૪-૨૨ નાં રોજ ખુલ્લી અદાલતમાં ચુકાદો હુકમ જાહેર થતા ગુંગણ ગામનાં ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News