વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી


SHARE











મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી

મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પોતાનું મોપેડ પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં કુબેરનાથ મેઇન રોડ ઉપર આવેલ મોચી શેરીમાં રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેર જાતે ખવાસ રાજપૂત (ઉંમર ૬૭) પોતાનું મોપેડ નં. જીજે ૩૬ એન ૪૬૧૮ લઈને મોરબીમાં શાકમાર્કેટ પાસે ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું મોપેડ ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોપેડની ચોરી થઇ હોવા અંગેની ભોગ બનેલા ભીખાલાલ ખેરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આપઘાતનો પ્રયાસ

મોરબીની ભરવાડ શેરીમાં રાધે ક્રીષ્ના મંદીર વિજયનગરમાં રહેતી લાંબરીયા નિશાબેન રતીલાલભાઇ (ઉ.૨૧)એ પોતાના પિતાના ઘરે વાવડી રોડ ભગવતીપરામાં ચુંદડીવડે પંખા સાથે ગળે ફાંસો ખાતા તેનો ભાઇ સાગર તેને જોઇ ગયો હતો જેથી તેને તાત્કાલિક  સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ મહિલાનો લગ્નગાળો ૨ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. એમ.પટેલે પરિણીતાનું નિવેદન લીધું હતું જેમાં તેને જણાવ્યુ હતું કે, પતિ અને સાસુ સાથે અવાર નવાર બોલાચાલી થતી હોય તે બાબતે લાગી આવ્યું હતુ જેથી આવેશમાં આવીને પિતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો






Latest News