મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના જુના ઘાટીલા ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE











માળીયા(મિં.) ના જુના ઘાટીલા ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ છોટાઉદેપુર પંથકના મજુર પરિવારની મહિલા વાડીએ ચા બનાવતી હતી તે દરમિયાન દાઝી ગઈ હતી જેથી તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી અને ત્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવતા જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેતી મજુરીનું કામ કરતા અને મૂળ છોટાઉદેપુરના ટીંબી ગામના વતની સવિતાબેન પ્રવીણભાઈ નાયકા નામની ૩૦ વર્ષીય આદિવાસી મહિલા ગત તા.૧૭-૩ ના સવારે વાડીએ ચા બનાવતી હતી તે દરમિયાન દાઝી ગઈ હતી જેથી તેને સારવાર માટે જેતપર પીએચસી ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેણીને સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં પણ જીલ્લા કક્ષાની સિવિલમાં બર્ન્સ વિભાગ ન હોય પ્રાથમિક સારવાર આપીને સવિતાબેન નાયકાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં વીસેક દિવસ સારવારમાં રહ્યા બાદ આજે તેઓનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ કરીને માળીયા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના નવાગઢ વિસ્તારમાં સરદારપુર ગેટ નજીક રહેતો દિગ્વિજય ભરતભાઈ કુબાવત નામનો ૨૭ વર્ષીય યુવાન જેતપુર બાજુથી જુનાગઢ જતો હતો ત્યારે ઝાંઝરડા ચોકડી પાસે તેના બાઈક આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજાઓ થતાં દિગ્વિજય કુબાવતને સારવાર માટે અહીં મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના લુણસર ગામનો વતની મહેશ જગદીશભાઈ કુણપરા નામનો ૩૦ વર્ષીય યુવાન હળવદના માથક ગામ પાસેથી બાઇક લઇને જતો હતો દરમિયાન ત્યાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત મહેશભાઇને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

બાળકી સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર સરદારનગર પાસેની ઉમા સોસાયટીમાં રહેતા યોગેન્દ્રસિંહ રાણાની છ વર્ષીય દીકરી હેતાંશીબા ભક્તિનગર સર્કલ પાસે નવા ઓવરબ્રીજ નજીકથી બાઇકમાં જતી હતી ત્યારે તે બાઇકમાંથી પડી જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં હેતાંશીબા રાણા નામની છ વર્ષીય બાળાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.






Latest News