રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે બોર્ડ જ નહીં જીવનની દરેક પરિક્ષામાં સફળ કેવી રીતે થવુ તે અંગે સેમીનાર યોજાયોમી


SHARE





મોરબીમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે બોર્ડ જ નહીં જીવનની દરેક પરિક્ષામાં સફળ કેવી રીતે થવુ તે અંગે સેમીનાર યોજાયો

"પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ..? હું પડકારો ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું." કર્મયોગી એવાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રચિત ઉપરની પંક્તિઓ જ બોર્ડની પરીક્ષાઓમાં બેસનારા વિદ્યાર્થીઓ માટે હકારાત્મકતા કેળવવા માટેનું રસાયણ છે.પરીક્ષા પે ચર્ચાના પ્રધાનમંત્રીના સંવાદમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવી રીતે સફળ થવું તેનો મંત્ર તો હતો જ સાથોસાથ જીવનમાં આવનારી દરેક પરીક્ષાઓમાં કઈ રીતે સફળ થવું એનું પણ મોટિવેશન હતું.

વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકોને પણ માર્ગદર્શન મળી રહે તેના ભાગ રૂપે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સમગ્ર ભારતવર્ષમાંથી આવેલ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથેના સંવાદનું બી.આર.સી ભવન મોરબીના હોલમાં પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતુ.બી.આર.સી.ભવન મોરબી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ,  ડી.ડી.ઓ. ભગદેવ, જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કાવરની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનો લાઈવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં ત્રાજપર, કલ્યાણ ગ્રામ તેમજ પોટરી તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપસ્થિત  રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ કાંજીયા, રીકીતભાઇ વિડજા, ચંદ્રકાન્તભાઈ બાવરવા, હરદેવભાઇ ડાંગર  તેમજ બી.આર.સી ટીમની વિશેષ ભૂમિકા રહી હતી.






Latest News