મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય


SHARE











વાંકાનેરના માટેલમાં પૂરમાં તણાતી વાછળીને બચાવવા જતાં ડૂબી ગયેલા યુવાનના પરિવારને ૬.૩૦ લાખની આર્થિક સહાય

મોરબી જિલ્લાના માટેલમાં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હતી ત્યારે માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછળીને બચાવવા માટે ઝંપલાવવામાં આવ્યું હતું ત્યારે કમનસીબે કુશળ તરવૈયા હોવા છતાં તે પાણીમાં કોઈ ઇજા થવાથી પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ હતા અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો હતો અને આ બનાવથી ભરતભાઇના પાંચ સંતાનો નોંધારા બન્યા હતા જેથી મોરબી જિલ્લાના ગૌ સેવકોએ તેના પરિવારને આર્થિક મદદ કરવા ફાળો કરવાનું નક્કી કર્યું હતું અને મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટમાં ફાળો ઉઘરાવવામાં આવેલ હતો જેમાં કુલ ૬.૩૦ લાખ રૂપિયા એકત્રિત થયા હતા જે ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિરના મહંત ખોડુબાપુની હાજરીમાં ભરતભાઈના પાંચેય સંતાનોને અર્પણ કરવામાં  આવેલ છે ત્યારે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમના પ્રમુખ મુન્નાભાઈ, હળવદના સામજિક કાર્યકરને રાજકીય અગ્રણી તપનભાઇ દવે, મોરબીથી પરેશભાઈ કાનાબાર, પ્રજ્ઞેશભાઇ ચતવાણી, તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા હતા ત્યારે માટેલના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈએ ખાસ ઉપસ્થિત રહેલા ગૌ સેવકો અને દાન આપનાર તમામ દાતાનો અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો






Latest News