મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન


SHARE











મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન

મોરબીની આયુષ હોસ્પિટલમાં એક 75 વર્ષના વૃદ્ધ દર્દી ઇમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન હાલતમાં આવ્યા હતા, જ્યારે દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેની તપાસ કરતા જણાયુ હતું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 20 % છે, દર્દીનું બીપી માપી ન શકાય એટલું ઓછુ છે, દર્દીને હ્રદયનો હુમલો આવેલો છે, દર્દીને એસ્પિરેશન ન્યુમોનીયા નામની જીવલેણ અને ગંભીર બીમારી પણ સાથે લાગુ પડેલી છે.

આથી દર્દીની ખૂબજ ગંભીર સ્થિતિને ધ્યાન પર લેતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઇ ડો. સત્યજીતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને દર્દીના સચોટ નિદાન અને સારવારના પગલે દર્દીની આટલી ગંભીર બીમારીઓ એક સાથે લાગુ પડેલ હોવા છતા માત્ર 4 દિવસમા દર્દીની હોસ્પિટલમાથી રજા કરવામા આવી છે જેથી દર્દીના સગાઓ દ્વારા, “સાહેબ અમને અમારા બા ની કન્ડિશન જોતા બચવાની કોઇ પણ શકયતા ન હતી લાગતી, આપનો અને આયુષ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારજેવા લાગણીભર્યા શબ્દો સાથે ડો. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News