મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન
મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ
SHARE
મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ
મોરબીના મધુપુર ગામના વતની છગનભાઇ બાબુભાઈ ઉપસરીયા કોળી તા૧૦-૧૨-૨૪ ના રોજ બપોરે ૧૧ વાગ્યે ઘરે જતા હતા.ત્યારે બાઈક લઈ જતા સમયે જેતપર રોડ પાવડીયાળી કેનાલ પાસે સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ઓ ૮૮૭૮ ના ચાલકે પુરઝડપે બેફિકરાઇથી ચલાવી બાઈકને હડફેટે લેતા છગનભાઈ પડી ગયેલ હતા.તેમજ માણસો ભેગા થઈ ગયા હતા.બનાવ બાદ છગનભાઈને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ રાજકોટ સીનર્જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા.ત્યાં ઓપરેશન કરેલ ૨૫ દિવસ દવાખાનામાં દાખલ રાખેલ હતા.માથામાં ઈજાઓ થયેલ તથા જમણા પગમા ફ્રેકચર થયેલ જે બાબત તેમણે અકસ્માત વળતરની રકમ મેળવવા દાવો દાખલ કરાવ્યો હતો.આ દાવામા સામાવાળા વીમા કંપનીને રૂ.૧૮,૦૦,૦૦૦ નું વળતર ચુકવવાનો હુકમ મોરબીના અધિક ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.આર.નાદપરાએ ફરમાવેલ છે.જે રકમ હુકમની તારીખથી ત્રણ માસમાં જમા કરાવવાનો પણ હુકમ ફરમાવેલ છે.આ કેશમાં અકસ્માતનો ભોગ બનેલા છગનભાઈ ઉપસરીયા વતી અહીંના જાણીતા એડવોકેટ કૌશિકકુમાર એ.ભટ્ટ રોકાયેલ હતા.