મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથબાપુની જયંતિની ઉજવણીના આયોજન માટે મિટિંગ મળી


SHARE





મોરબીમાં વેલનાથબાપુની જયંતિની ઉજવણીના આયોજન માટે મિટિંગ મળી

મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત શિરોમણી અને ધર્મગુરુ વેલનાથબાપુની જયંતિની ઉજવણી અંગે વેલનાથ મંદિર, માળીયા ફાટક પાસે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં મોરબી, ટંકારા, હળવદ,વાંકાનેરમાં ભવ્ય શોભયાત્રા કાઢી અને ધામધૂમથી વેલનાથબાપુની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ જી. બાંભણીયા, તુલસીભાઇ પાટડિયા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ શંખેશરિયા, મનુભાઇ ઉપસરિયા, નિલેશભાઈ દેગામા, યોગેશજી ઠાકોર, જયદિપજી ઠાકોર, જયંતિભાઈ ઘાટિલિયા, પ્રવીણ સારલા સહિતના મોટી સખ્યામાં ઠાકોર સમાજના કાર્યકર્તા અને વડિલો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News