મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરતો વેપારી ઝડપાયો: 25 બટલા કબ્જે માળીયા (મી)ના ખાખરેચી ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના ઘરમાં ઘૂસીને યુવતીના પિતા, માતા અને બહેને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હળવદના ધુળકોટ ગામ નજીક છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી સારવારમાં મોરબી નજીક આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબી નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના ભાવપર પાસે ટ્રેન હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે


SHARE











મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે

મોરબીના સેવાકીય કામમાં હમેશા અગ્રેસર રહેતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારોને તેના ઘરે જઈને આર્થિક સહાય આપવામાં આવી રહી છે ત્યારે બે વર્ષ બાદ ફરી શહીદોને સહાય અર્પણ કરવા માટે તે પંજાબ જવાના છે ત્યારે મોરબીના જોધપર ગામમે રહેતી હિરલ બરાસરા નામની દીકરી અને તેમની બહેનપણીઓએ શહીદ દિને શહીદોને આર્થિક રીતે મદદ કરવાની ભાવના સાથે ૧૨૬૨૦ રૂપિયા એકત્રિત કર્યા હતા જે રકમ અજય લોરીયાને આપવામાં આવી છે અને તાજેતરમાં અજય લોરીયાએ ગુજરાતના શહીદ જવાનો હરીશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અને જયદિપસિંહ સોલંકીના પરિવારને ૧.૭૫ લાખની સહાય અર્પણ કરી હતી અને હાલમાં તેની પાસે આ સહાય માટે એકત્રિત કરવામાં આવેલ રકમ માંથી ૭,૮૮,૬૨૦ રૂપિયાની બેલેન્સ છે જેમાથી પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા માટે તે ૧ એપ્રિલે પંજાબ જવાના છે અને જે લોકો સહાય આપવા માટે ઇચ્છતા હોય તેઓએ અજય લોરીયા (૯૯૧૩૪ ૩૩૩૩૩)નો  સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News