મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે


SHARE





મોરબીના અજય લોરીયા પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા જશે

મોરબીના સેવાકીય કામમાં હમેશા અગ્રેસર રહેતા મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારોને તેના ઘરે જઈને આર્થિક સહાય આપવામાં આવી રહી છે ત્યારે બે વર્ષ બાદ ફરી શહીદોને સહાય અર્પણ કરવા માટે તે પંજાબ જવાના છે ત્યારે મોરબીના જોધપર ગામમે રહેતી હિરલ બરાસરા નામની દીકરી અને તેમની બહેનપણીઓએ શહીદ દિને શહીદોને આર્થિક રીતે મદદ કરવાની ભાવના સાથે ૧૨૬૨૦ રૂપિયા એકત્રિત કર્યા હતા જે રકમ અજય લોરીયાને આપવામાં આવી છે અને તાજેતરમાં અજય લોરીયાએ ગુજરાતના શહીદ જવાનો હરીશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અને જયદિપસિંહ સોલંકીના પરિવારને ૧.૭૫ લાખની સહાય અર્પણ કરી હતી અને હાલમાં તેની પાસે આ સહાય માટે એકત્રિત કરવામાં આવેલ રકમ માંથી ૭,૮૮,૬૨૦ રૂપિયાની બેલેન્સ છે જેમાથી પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય આપવા માટે તે ૧ એપ્રિલે પંજાબ જવાના છે અને જે લોકો સહાય આપવા માટે ઇચ્છતા હોય તેઓએ અજય લોરીયા (૯૯૧૩૪ ૩૩૩૩૩)નો  સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News