મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત


SHARE







મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનની મિટિંગમાં પ્રમુખ, ખજાનચી અને કમિટીના સભ્ય પાસે ખર્ચની વિગતો મહિલા દ્વારા માગવામાં આવી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલ પ્રમુખ સહિતના ત્રણેય શ્ખ્સોએ તેને ગાળો આપીને માર માર્યો હતો જેથી મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને તેને પોલીસને જાણ કરી હતી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી ભોગ બનેલ મહિલા સ્થાનિક લોકોને સાથે રાખીને એસપીને રજૂઆત કરવા માટે પહોચી હતી

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનમાં રહેતા સબાનાબેન યુનુસભાઈ કાસમાણીએ  જિલ્લાના એસપીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ રાજુભાઈ ભંભાણી, કમીટી સભ્ય ૨મેશભાઈ ધુમલ અને ખજાનચી જનકભાઈ રાજાએ તા ૧૩/૩/૨૨ ના રોજ સમય રાત્રીના ૧૧ વાગ્યે સોસાયટીમાં મીટીંગનુ આયોજન કરેલ હતું તે સમયે તેઓએ ઉપરોક્ત ત્રણેય પાસેથી સોસાયટીના ખર્ચની માહીતી માંગી હતી જેથી તે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે બેફામ અભદ્ર વર્તન કરીને ગાળો આપી હતી

ત્યારે સબાનાબેનએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સોએ તેને ઢોર માર મારેલ હતો જેથી તેઓને સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને લાગુ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી જેથી પોલીસ સીવીલ હોસ્પીટલે આવી હતી અને બનાવની માહીતી આપી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી અને બાદમાં તેઓની અરજીને પણ એ ડિવિઝ્નમાં લેવામાં આવી ન હતી જેથી તેઓ એસપીને લેખિત રજૂઆત અને ફરિયાદ કરવા માટે સ્થાનિક લોકો સાથે પહોચ્યા હતા અને પ્રમુખ, ખજાનચી સહિતના ત્રણેયની સામે કાયદેસરની તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરેલ હતી






Latest News