મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત


SHARE













મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનની મિટિંગમાં પ્રમુખ, ખજાનચી અને કમિટીના સભ્ય પાસે ખર્ચની વિગતો મહિલા દ્વારા માગવામાં આવી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલ પ્રમુખ સહિતના ત્રણેય શ્ખ્સોએ તેને ગાળો આપીને માર માર્યો હતો જેથી મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને તેને પોલીસને જાણ કરી હતી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી ભોગ બનેલ મહિલા સ્થાનિક લોકોને સાથે રાખીને એસપીને રજૂઆત કરવા માટે પહોચી હતી

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનમાં રહેતા સબાનાબેન યુનુસભાઈ કાસમાણીએ  જિલ્લાના એસપીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ રાજુભાઈ ભંભાણી, કમીટી સભ્ય ૨મેશભાઈ ધુમલ અને ખજાનચી જનકભાઈ રાજાએ તા ૧૩/૩/૨૨ ના રોજ સમય રાત્રીના ૧૧ વાગ્યે સોસાયટીમાં મીટીંગનુ આયોજન કરેલ હતું તે સમયે તેઓએ ઉપરોક્ત ત્રણેય પાસેથી સોસાયટીના ખર્ચની માહીતી માંગી હતી જેથી તે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે બેફામ અભદ્ર વર્તન કરીને ગાળો આપી હતી

ત્યારે સબાનાબેનએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સોએ તેને ઢોર માર મારેલ હતો જેથી તેઓને સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને લાગુ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી જેથી પોલીસ સીવીલ હોસ્પીટલે આવી હતી અને બનાવની માહીતી આપી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી અને બાદમાં તેઓની અરજીને પણ એ ડિવિઝ્નમાં લેવામાં આવી ન હતી જેથી તેઓ એસપીને લેખિત રજૂઆત અને ફરિયાદ કરવા માટે સ્થાનિક લોકો સાથે પહોચ્યા હતા અને પ્રમુખ, ખજાનચી સહિતના ત્રણેયની સામે કાયદેસરની તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરેલ હતી






Latest News