મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સૂત્ર પ્રદર્શન રેલી યોજાઇ

મોરબીમાં સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભે એક સૂત્રાત્મક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં આયોજનબદ્ધ મર્યાદિત સંખ્યામાં સ્વયંસેવકોને જોડવામાં આવેલ હતા તેમજ કાયદા મુજબ જાહેરમાં માસ્ક પહેરવું હજુ અનિવાર્ય હોય સૂત્રોચારને બદલે સૂત્ર પ્રદર્શન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો ઉદ્દેશ સૂત્રો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની જાગૃતિ કેળવવાનો હતો એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સૂત્રોનું પ્રદર્શન રેલી દ્વારા મુખ્ય પોઇન્ટ પર કરવામાં આવ્યું હતું આ રેલી દરબાર ગઢથી શરૂ થઈને ગ્રીન ચોકનહેરુ ગેટશાકમાર્કેટગાંધી ચોકરામચોકજુના બસ સ્ટેશનત્રિકોણ બાગવીસી ફાટકમણીમંદિરનટરાજ થઈને સામાકાંઠે હાઉસિંગ બોર્ડ એટલે કે સાડા ચાર કિલોમીટર સુધી ચાલેલી હતી આ રેલીમાં બાર બહેનો અને ત્રણ ભાઈઓ જોડાયેલ હતા અને પ્રિન્સિપાલની અનુમતીથી રેલીનું સમગ્ર આયોજન અને નેતૃત્વ એન.એસ.એસ. વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફીસર ડો. રામ વારોતરીયાએ કરેલ હતું






Latest News