મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫ ના રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે


SHARE







મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આગામી તા.૨૫ ના રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

માર્કેટીંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભખંડમાં બેઠક યોજાઇ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલ બેઠકમાં નક્કિ થયા અનુસાર મોરબી જિલ્લામાં આગામી તા.૨૫ મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિત ગરીબ કલ્યાણ મેળો યોજાશે.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાના ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ, સરકારની વિવિધ યોજનાના લાભો, કીટ અને સહાય વિતરણ પણ કરવામાં આવશે.કાર્યક્રમના આયોજન અંગેની પ્રથમ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભ મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સુચનો કર્યા હતા.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, ડીઆરડીએ નિયામક નીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, વાકાંનેર પ્રાંત અધિકારી એ.એચ.સેરશીયા, માર્ગ મકાનના કા.પા.ઇ. કે.એન. ઝાલા, જિલ્લા રજિસ્ટ્રાર ડી.વી.ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.ચૌહાણ, જિલ્લાના સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News