મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામે ઘરકંકાસથી કંટાળીને યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ


SHARE











મોરબીના જાંબુડિયા ગામે ઘરકંકાસથી કંટાળીને યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા યુવાને પોતાના ઘરમાં ઘરકંકાસથી કંટાળીને બાથરૂમમાં ફિનાઇલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા કિશનકુમાર ભરતભાઈ માંજુસાએ પોતાના ઘરની અંદર બાથરૂમમાં ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે કિશનકુમારે ઘરકંકાસથી કંટાળીને પોતાના બાથરૂમની અંદર ફિનાઇલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી બાઇક લઇને જઇ રહેલા દિનેશભાઈ નારણભાઈ સનારિયા (ઉંમર ૫૨) રહે. પેરીના પેલેસ મોરબી વાળાના બાઈકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ બનાવમાં દિનેશભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આવી જ રીતે મોરબી જેતપર રોડ ઉપરથી પસાર થતાં લખનાબેન રાજેશભાઈ પંચાસરા (ઉંમર ૩૮) ને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને મોરબીની સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માત

મોરબી શહેરના વિદ્યુતનગરમાંથી ધરનગર બાજુ સાઇકલ પર જઈ રહેલ કૃષ્ણ વિઠ્ઠલભાઈ સનુરા (ઉંમર ૧૭) સાયકલ પરથી નીચે પડી ગયો હતો અને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર સોસાયટીની અંદર રહેતા શારદાબેન ત્રિકુભાઈ સારેસા (૬૦) ને તેના ઘર પાસે થયેલ મારામારીમાં ઇજા થવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આવી જ રીતે મોરબીના બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં મારામારીનો બનાવ થયો હતો જેમાં સામલીબેન વીનભાઈ ભૂરા (૩૮) નામની મહિલાને ઇજા થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે






Latest News