મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ


SHARE







મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ

રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત મોરબી જિલ્લાની તાલુકા કક્ષાની કલામહાકુંભ સ્પર્ધા-૨૦૨૨ માં સાર્થકવિધામંદિરના વિધાર્થીઓએ જુદી જુદી સ્પર્ધામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ભલાણી રિધ્ધી (ધો-૮), તૃતીય ચાવડા અંશ (ધો-૯) તો નિબંધ સ્પર્ધામાં પ્રથમ કાથરાણી સાક્ષી (ધો-૮), એકપત્રિય અભિનયમાં પ્રથમ મઢવી દેવશ્રી (ધો-૭), પીપળીયા એંજલ (ધો-૪) અને સમૂહ ગીતમાં પ્રથમ ક્રમે મકવાણા સંજના (ધો-૯), ગુંદિગરા ભવ્યતા (ધો-૯), વારનેશિયા ખુશી (ધો-૧૧), ફુલતરીયા આશા (ધો-૧૧), હાસાણી દ્રષ્ટિ (ધો-૧૧) તો દ્વિતીય ક્રમે ત્રિવેદી અનેરી(ધો-૫), ગોહિલ તન્વીબા(ધો-૮), બારેજીયા દ્રષ્ટિ (ધો-૮), કડીવાર કરણ (ધો-૭) અને પાલિયા રવુંભા(ધો-૮)નો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓએ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની કલામહાકુંભની સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની મંહમદી લોક શાળા ભાગ લેવા માટે જશે જેથી આ તમામ વિધાર્થીઓને સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળા પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવેલ છે

 

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરાયું

મોરબીમાં વસંતપંચમીના દિવસે જુદીજુદી શાળાઓમાં સરસ્વતી પૂજન કરવામાં અવાયું હતું ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પણ સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું અને શાળાના સંચાલક કિશોરભાઇ શુક્લ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દ્વારા વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું

 






Latest News