મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

સુત્રાપાડામાં ઘરમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલ બાપ-દીકરી બાદ માતાનું મોરબીમાં સારવારમાં મોત


SHARE







સુત્રાપાડામાં ઘરમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલ બાપ-દીકરી બાદ માતાનું મોરબીમાં સારવારમાં મોત

વેરાવળના સુત્રાપાડામાં કાનવાદળી ગામે ગેસની નળીના લીકેજથી ઘરમાં આગ લાગી હતી જેથી કરીને પતિ-પતિની અને તેનો દીકરી દાઝી ગયા હતા જેથી તેને સારવારમાં ખસેડાયા હતા આ બનાવમાં પહેલા પતિ અને દીકરીનું મોત થયું હતું અને હાલમાં મોરબીમાં સારવાર માટે લઈ આવવામાં આવેલ મહિલાનું પણ સારવારમા મોત નીપજયું છે તેવું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સુત્રાપાડાની રહેવાસી મોતીબેન પરેશભાઈ વાંઝા (૨૫) તથા તેના પતિ પરેશભાઈ વાંઝા અને એક દીકરી ગત તા. ૧૧/૧ ના રોજ પોતાના ઘરે ગેસની પાઇપ લીકેજ થતાં લાગેલી આગમાં દાઝી ગયા હતા જેથી તેને ત્યાં  સારવારમાં લઈ ગયા હતા જો કે, પરેશભાઈ વાંઝા અને તેની દીકરીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું જો કે, મોતીબેન પરેશભાઈ વાંઝાને વધુ સારવાર માટે તેના કુંટુંબી મોરબીની આયુષ હોસ્પિટલએ લઈને આવ્યા હતા અને મોરબીની આયુષ હોસ્પિટલ સારવાર દરમ્યાન મોતીબેન નામની મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ  હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ ઘરમાં આગ લાગવાના આ બનાવમાં ઘરમાં રહેલ ચાર વ્યક્તિમાંથી ત્રણ દાઝી ગયા હતા જેમાં મહિલાના પતિ અને દીકરીનું પહેલા મોત થયું હતું અને હાલમાં મહિલાનું મોત નીપજયું છે જો કે, એક નાનું બાળક ઘરમાં સૂતું હતું જેને કશું જ થયું ન હતું


અકસ્માતમાં બેને ઈજા

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપરના સનવર્લ્ડ સિરામિકના લેબર કવાટપમાં રહીને મજૂરીકામ કરતાં નિતાઇદાસ બલાઇ (૨૯) અને દેવેન્દ્ર જગન્નાથ મોહંન્તો (૨૭) નામના બે યુવાનો બાઈકમાં ડબલ સવારીમાં ઘુંટું રોડ ઉપરથી જતા હતા ત્યારે સિમ્પોલો સીરામીકના લેબર કવાટર નજીક ગતરાત્રિના બે વાગ્યાના અરસામાં તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી બન્નેને સારવાર માટે સામેકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ નિતાઇદાસ બલાઇ વધુ ગંભીર જણાતા હાલ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું તાલુકા પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.હાલ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ એન.જે.ખડીયા દ્વારા બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News