વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ-પીપળીયા વચ્ચે કન્ટેનર પલ્ટી મારી જતા ચાલકનું મોત


SHARE











મોરબીના આમરણ-પીપળીયા વચ્ચે કન્ટેનર પલ્ટી મારી જતા ચાલકનું મોત

મોરબી તાલુકાના આમરણ અને પીપળીયા ચોકડી વચ્ચેના રસ્તે ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવા કન્ટેનર ચાલક દ્વારા બેફિકરાઈથી વાહન હંકારવામાં આવતા વાહન રોડની સાઈડમાં નીચે ઉતરીને પલટી મારી ગયું હતું જેથી કન્ટેનર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના આમરણ નજીક પીપળીયા ચોકડી જતા રસ્તે ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટાટા સિગ્મા કન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૧૬૮૮ ના ચાલક અવિનાશ સુરેશભાઈ પાસવાન (૫૪) દ્વારા બેફિકરાઈ પૂર્વક પોતાનું વાહન ઓવર સ્પીડમાં હંકારવામાં આવતાં આમરણ પીપળીયા વચ્ચે કન્ટેનર રોડ નીચે ઉતરીને પલટી મારી ગયું હતું જેથી કન્ટેનર નીચે દબાઈ જવાથી ગંભીર ઇજાઓ થતાં ચાલક અવિનાશભાઈ સુરેશભાઈ પાસવાન (૫૪) રહે. મુન્દ્રા કચ્છ વાળાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના ઇશ્વરભાઇ કલોતરાએ તપાસ હાથ ધરી હતી બાદમાં બનાવ સંદર્ભે શૈલેન્દ્રકુમાર રામતારી બિંદ ચૌહાણ (૨૫) રહે. મુન્દ્રા થરૂકીની ચાલી ભુજ કચ્છ વાળા મૂળ બિહાર વાળાએ કન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૧૬૮૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે બેદરકારી પૂર્વક મૃતકે પોતાનું વાહન ચલાવ્યું હતું અને રોડની સાઈડમાં વાહન ઉતારી દીધું હતું જેથી તેનું મોત નીપજયું છે હાલ મૃતક સામે ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ. આઈ.એમ. અજમેરીએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાલપર ગામે રહેતા ધનજીભાઈ કરસનભાઈ સાવલિયા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સિરામિક સિટી જવાના રસ્તે મેલડી માતાના મંદિર નજીક અજાણ્યા વાહનચાલકે તેના બાઈકને અડફેટે લેતા ઇજાગ્રસ્ત ધનજીભાઈને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યારે મોરબીના મોટા દહીસરા ગામે રહેતા કેશુભાઈ અવચરભાઈ થરેશા નામનો ૪૦ વર્ષીય યુવાન ધનાળાથી પરત મોરબી તરફ આવતો હતો ત્યારે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઘુટુ ગામ પાસેની કેનાલ નજીક તેના બાઇકને આર્ટિગા કાર ચાલકે અડફેટે લેતાં કેશુભાઈ થરેશાને ઇજાઓ થઇ હોય તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.






Latest News