મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી


SHARE





મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પર્યુષણ પર્વને ધ્યાને રાખીને કતલખાના તેમજ નોનવેજનું વેચાણ બંધ રાખવા માટેની જાહેરનામું તો કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જો કે, તેની અમલવારી કરવામાં આવી રહી નથી જેથી સર્વે હિન્દુ સંગઠન દ્વારા તા. 8 થી 16 સુધીનું કતલખાના તેમજ નોનવેજનું વેચાણ બંધ રાખવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તે માત્ર કાગળ ઉપર રાખવાના બદલે તેની ચુસ્તપણે અમલવારી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 

મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અને તેની અમલવારી કરવા માટેની સૂચન પણ આપવામાં આવેલ છે તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ જોવા મળે છે તો કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો મતલબ શું તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. અને આ જાહેરનામાની અમલવારી કરવાની જવાબદારી કોની છે ? અને તે પોતાની ફરજમાં બેદરકસરી રાખે તો તેની સામે કમિશનર દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના સહિતના સવાલો ઉઠી રહ્યા છે. જો કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તો શું નીચેના સંબંધિત વિભાગના અધિકારી પાસે તેની જાણકારી નથી ? કે પછી જાહેરનામાની અમલવારીના નામે એક વિભાગ બીજા વિભાગને અને એક અધિકારી બીજા અધિકારીને જવાબદારી સોંપીને માત્ર ખો દેવાની રમત રમી રહ્યા છે. સર્વે હિન્દુ સંગઠનનો મહાપાલિકાને સ્પષ્ટ સવાલ છે કે, જાહેરનામાની કડક અમલવારી માટે સૂચના આપવામાં આવેલ છે તો પછી જમીન ઉપર કાર્યવાહી કેમ દેખાતી નથી ? અને જાહેરનામું માત્ર પ્રસિદ્ધ કરવા માટે નહીં, પરંતુ તેનો કડક અમલ કરવા માટે હોય છે. માટે કાગળ પર કાર્યવાહી કરવાના બદલે વાસ્તવિક રીતે ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News