મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી


SHARE





માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી

મોરબી જિલ્લામાં તસ્કરોને જાણે કે મોકળુ મેદાન હોય તે રીતે અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવામાં માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસરમાં ધોળા દિવસે દર્શન કરવાના બહાને આવેલા શખ્સ દ્વારા ભગવાનની મૂર્તિ ઉપર રાખવામાં આવેલા હારની ચોરી કરવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

હાલમાં જૈન સમાજનો મહાપર્વ એટલે કે પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ જૈન દેરાસરને તસ્કરે નિશાન બનાવ્યું છે અને મંદિરની અંદર દર્શન કરવાના બહાને આવેલ શખ્સ દ્વારા ભગવાનની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલ હારની ચોરી કરવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના મંદિરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની અંદર કેદ થયેલ છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે તા. 7/9 ના રોજ સવારે 11:18 મિનિટે અજાણ્યો શખ્સ જૈન દેરાસરની અંદર ભગવાનના દર્શન કરવાના બહાને આવે છે અને ત્યારબાદ માત્ર બે જ મિનિટની અંદર એટલે કે 11:20 મિનિટે તે મંદિરની બહાર નીકળી જાય છે જોકે, બે મિનિટમાં તેણે ભગવાનની મૂર્તિ ઉપર ચઢાવવામાં આવેલ હારની ચોરી કરી હતી જે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે અને જૈન દેરાસરની અંદર જે શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી તે બિન્દાસ રીતે ખાખરેચી ગામની અંદર આંટાફેરા કરતો હોય તે પ્રકારના વિડીયો અને રામજી મંદિરમાં પણ આ શખ્સ ગયેલ હોય તેવા વિડિયો સામે આવેલ છે ત્યારે રામજી મંદિરમાં પણ ચોરી કરવામાં આવેલ છે કે કેમ તે હાલમાં તપાસનો વિષય છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી પરંતુ અવારનવાર બાઈક ચોરી, વાહન ચોરી, ઘરફોડ ચોરી, કોપર વાયર ચોરી, પરચુરણ વસ્તુઓની ચોરી અને મંદિરમાંથી ભગવાન ઉપર રાખવામાં આવતા આભૂષણની ચોરી જેવી ઘટનાઓ બની રહી છે જેથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે હવે સવાલો ઉઠે તો નવાઈ નથી




Latest News