મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર પાલીકાના કર્મચારીને ઓફિસમાં આવીને ધમકી આપનારા બે શખ્સો સામે ગુનો નોંધાતા હડતાલ સમેટાઇ


SHARE











વાંકાનેર પાલીકાના કર્મચારીને ઓફિસમાં આવીને ધમકી આપનારા બે શખ્સો સામે ગુનો નોંધાતા હડતાલ સમેટાઇ

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને ઓફિસે આવીને ધમકી આપવામાં આવી હતી અને ગાળો દેવાઈ હતી જેની વાંકાનેર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા શનિવારે તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા ભોગ બનેલા કર્મચારીની ફરિયાદ લેવામાં આવી છે અને બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે જેથી વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા તેની હડતાળ સમેટી લેવામાં આવી છે અને હવે બધી જ કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તેવું પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું છે.

વાંકાનેર નગરપાલિકાની બાજુમાં આવેલી આશિયાના સોસાયટીમાં થોડા સમય પહેલા ભૂતિયા નળ કનેકશન કાપવાની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ત્યાંના લોકો દ્વારા કર્મચારીઓની સાથે માથાકૂટ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરફરાઝ મકવાણા નામના શખ્સે પાલિકા કચેરી ખાતે આવીને પાલિકાના કર્મચારીઓને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને અશોક રાવલ નામના કર્મચારી દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી જો કેસરફરાઝ મકવાણાની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી કરીને આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે શનિવારે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું

વાંકાનેર પાલિકાના રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા લાઇટ-પાણીસફાઇ સહિતની કામગીરીને સદંતર બંધ કરવામાં આવી હતી અને જ્યાં સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં નહિં આવે અને પાલિકાના કર્મચારીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી અચોકક્સ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી તેવામાં રવિવારે વાંકાનેર પોલીસ દ્વારા ભોગ બનેલા વાંકાનેર પાલિકાના કર્મચારી અશોકભાઇ રાવલની ફરિયાદ લેવામાં આવી છે અને સરફરાજ હુસેનભાઇ મકવાણા અને સલો રિક્ષા વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓના વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓ ભૂતિયા નળ કનેક્શન કાપવા માટે ગયા હતા તેનો રોષ રાખીને આરોપીઓએ પાલિકા કચેરીમાં આવીને પાલિકાકર્મીની ફરજમાં રૂકાવટ કરીને ગાળો આપી હતી અને ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News