મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ


SHARE







મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે રહેતા પરિવારનો યુવાન ઘરેથી ગુમ થઈ ગયો હોય તેની માતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને શોધખોળ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે આઠ ઓરડી વિસ્તારમાં રહેતા રસીલાબેન અશોકભાઈ મેરૂભાઈ માંડવીયા (કોળી) નામના મહિલાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, તેમનો દિકરો દશરથ અશોકભાઈ માંડવીયા (૨૨) તા.૫/૪ ના રાત્રિના કોઈને કંઇ કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગયેલ છે.આર્થિક સંકળામણને પગલે ઘરેથી કોઈને કહયા વિના દશરથ ચાલ્યો ગયો હોવાની પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આ બાબતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.
ફિનાઇલ પી જતા સારવારમાં
જોડિયાના રસનાળ ગામે રહેતા નયનાબા હકુમતસિંહ જાડેજા નામના ૩૩ વર્ષીય મહિલા તેઓના ઘરે ફીનાઇલ પી ગયા હોય વધુ સારવાર માટે અહિની સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી અને બનાવ સંદર્ભે જોડીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર ખાતે રેલવે રેલ્વે સ્ટેશન નજીક આવેલ વિસ્તારમાં રહેતા બ્રીસમભાઈ રામજીભાઈ સોલંકી (૪૦) અને આશાબેન બ્રીસમભાઈ સોલંકી (૩૫) ને બાઈક લઈને જતા સમયે બાઈક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થતા બંનેને વધુ સારવાર માટે અત્રે સારવાર માટે સિવીલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રએ જણાવ્યું હતું અને બનાવની તપાસ માટે નોંધ કરી વધુ તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે હળવદની ટીકર ચોકડી પાસે બાઈક સાથે અન્ય બાઇક અથડાવાના અકસ્માત બનાવમાં કિરીટભાઇ ગોવિંદરામ દુધરેજીયા (૫૭) રહે.ટીકર તા.હળવદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News