વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર
SHARE
વાંકાનેર તાલુકાના એકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એકપ્લોઝીવ એકટ સહિતની કલમ હેઠળ નોંધાયેલ ગુન્હામાં પકડાયેલ આરોપી રમેશભાઈ ગોરધનદાસ ખોજીરજીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજી રહે. આજીવસાહત ખોડીયારનગર, રાજકોટ વાળાની એકપ્લોઝીવ એકટ અને વિસ્ફોટક પદાર્થ અધીનીયમની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. અને આરોપીને નીચેની અદાલતમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી અને આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરીને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ સેશન્સ જજ કે.આર.પંડયા સાહેબએ આરોપી રમેશભાઈ ગોરધનદાસ ખોજીરજીના ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપી રમેશભાઈ ગોરધનદાસ ખોજીરજીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા