મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

હું છું કિશોરભાઈ ચીખલીયા ના સંકલ્પ સાથે મોરબીમાં કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, શહેરની કાયાપલટનું આપ્યું કોંગ્રેસના પ્રમુખે કમિટમેન્ટ


SHARE











આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને મહાનગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી આવે તો મોરબીમાં કઈ કઈ પ્રકારના પરિવર્તનો આવશે તેના માટેની માહિતી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી અને ખાસ કરીને તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું નિધન થયું હોય તેઓને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન "હું છું કિશોર ચીખલીયા" ની નેમ સાથે દરેક કાર્યકર ચૂંટણીના મેદાનમાં જશે અને પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે તેવો સંકલ્પ કર્યો છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોરબી શહેર કોંગ્રેસ સમિતિનું નગરજનો માટેનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શહેરના લોકોને હાલમાં તમામ ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય મહાપાલિકા દ્વારા અશુદ્ધ પાણી સપ્લાય કરવામાં આવે છે તેની જગ્યાએ તમામ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર જે પણ ચર્ચાઓ થાય, જે પણ ઠરાવ લઈને નિર્ણય થાય તેની લોકો સુધી સંપૂર્ણ માહિતી પહોંચે તે માટે જનરલ બોર્ડની બેઠક લાઈવ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ સારા રોડ રસ્તા, બાગ બગીચા વિગેરે પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી માહિતી આપી હતી.

ખાસ કરીને તાજેતરમાં થોડા દિવસો પહેલા જ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું અને તેઓ કોંગ્રેસ પરિવારના મોભી હતા અને મોરબી શહેર તથા જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેઓએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે ત્યારે આ ચૂંટણીમાં "હું છું કિશોર ચીખલીયા" ના સંકલ્પ સાથે તેઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાવ સાથે દરેક કોંગ્રેસનો કાર્યકર્તા ચૂંટણી પ્રચાર માટે જશે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય અને સ્પષ્ટ બહુમતી મહાનગરપાલિકામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા દરેક કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી માહિતી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી






Latest News