માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામે પત્નીની હત્યા કરનારા હત્યારા પતિની ધરપકડ


SHARE











મોરબીના જાંબુડિયા ગામે પત્નીની હત્યા કરનારા હત્યારા પતિની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે પતિએ પત્નીને કુહાડીના ત્રણ ઘા ઝીંક્યા હતા જેથી આધેડ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું અને મૃતક મહિલાના દીકરાએ તેના જ પિતાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પત્નીની હત્યા કરનાર આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે

મોરબી જીલ્લામાં હત્યાના બનાવી ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા નવા જાંબુડીયા ગામે રહેતી પરિણીત મહિલાની તેના જ પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક મહિલાના દીકરા ગુણવંતભાઈ હંસરાજભાઈ વીંજવાડીયા (૨૪)એ તેના જ પિતા હંસરાજભાઈ મોહનભાઈ વીંજવાડીયાની સામે તેની માત અને આરોપીની પત્ની મંજુબેન હંસરાજભાઈ વીંજવાડીયા જાતે કોળી (ઉંમર ૫૦) ની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે હાલમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરેલ છે

નવા જાંબુડિયા ગામે જે મહિલાની હત્યા કરવામાં આવી છે તેના હત્યારા પત્ની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે ડીવાયએસપી મુનાફ પઠાણે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આરોપી પિતા હંસરાજભાઈ અને તેની મૃતક પત્ની મંજુબેન વચ્ચે અણબનાવ હતો જેથી કરીને તેઓ એક જ વિસ્તારમાં અલગ-અલગ ઘરમાં જુદા રહેતા હતા અને મંજુબેન તેના ચાર દીકરા અને પુત્રવધુ સાથે રહેતા હતા જોકે, મંજુબેન આરોપીના ઘરે ગયા હતા ત્યારે તેના પતિ સાથે ઘરે પાછા આવવા બાબતે બોલાચાલી થયેલ હતી જેથી મંજુબેનને તેના પતિ હંસરાજભાઈએ ગળા, માથા અને હાથ ઉપર કુહાડીના ત્રણ જીવલેણ ઘા મારી દીધા હતા જેથી મંજુબેનનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે પત્નીને કુહાડીના ત્રણ ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરનારા તેના પતિની મોરબી તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે જો કે, મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓથી હત્યાઓનો જે સિલસિલો ચાલી રહ્યો છે અને કોઈપણ જગ્યાએ કોઈપણ કારણોસર આડેધડ જે રીતે લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે તે સિલસિલો કયારે અટકશે તે સૌથી મોટો સવાલ છે




Latest News