મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં રામજી મંદિર ભાંડિયાની વાડી સ્ક્ય મોલ પાછળ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો.કેમ્પમાં એક દિવસીય ફ્રી નિદાન કરી આપીને ત્રી-દિવસીય દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ શ્રીમતી અરૂણાબેન હરેશભાઈ શાહ હસ્તે રીખવભાઈ શાહ મુંબઈ (બોરીવલી ચિકુવાડી) ના સહયોગથી નિદાન કેમ્પમાં બ્લડ સુગર ટેસ્ટ કરાયા હતા. અને આ કેમ્પમાં ડો.હસ્તીબેન મેહતાએ ૯૦ જેટલા દર્દીને તપાસીને સારવાર આપી હતી. તેમજ ડૉ.હાર્દિક જેશ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ) તેમજ સહદેવસિંહ ઝાલા (ઓમ લેબ.) ના આર્થિક અનુદાનથી ૫૬ દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. તેમજ ૬૦ થી વધુ દર્દીઓનું બીપી માપીને વજન કરીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં રશ્મિ દેસાઈ, કેતન મેહતા, જયસુખભાઇ પટેલ, કૌશીકા રાવલ, ઋચિતા પંડ્યા, વર્ષાબેન મોરીએ પણ સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કંઝરીયા લખમણભાઇ, કોઠારીભાઈ, દર્શનબેન, હરેશભાઈએ જહમત ઉઠાવી હતી.






Latest News