ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ


SHARE











મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની૨૦૨૬ની ઉજવણી કરાઇ

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ નર્સિંગ કોલેજ ખાતે વર્ષ ૨૦૨૬ના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આ તકે ડો. નીરજકુમાર બિસ્વાસ (ડીન, GMERS મેડિકલ કોલેજ, મોરબી), ડો. હિરેન સંઘાણી (એડિશનલ ડીન, GMERS મેડિકલ કોલેજ, મોરબી), ડો. સતીશ પટેલ (સિનિયર બાળરોગ નિષ્ણાત, સાહિત્યકાર અને લેખક), ડો. દીપક અઘારા (મંગલમ હોસ્પિટલ), ડો. મહેન્દ્ર ફેફર (નક્ષત્ર હોસ્પિટલ) તથા ડો. ચિરાગ વડગાસિયા (શ્યામ હોસ્પિટલ) ઉપસ્થિત રહ્યા હતા. અને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, એડમિન હેડ શક્તિભાઈ જોશી તથા પ્રિન્સિપાલ નિલેશ મિરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન સ્તુતિ, ક્લાસિકલ નૃત્ય અને સંગીતની સુંદર રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક રંગત પણ જોવા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રુમિલ માટલિયા તથા નવયુગ નર્સિંગના તમામ સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી






Latest News