મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ


SHARE













મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહીને મજૂરી કામ કરતા થાનના પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકના વતની અને હાલ મોરબી જિલ્લાના લાલપર ગામ નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુમ થયેલ સગીરાની ભાળ મેળવવા તથા આરોપીને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ અંગેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.જાડેજા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના ટંકારા ખાતે આવેલ રાધે પોલીપેક નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારની રીયુ તિલકપ્રસાદ નામની બે માસની બાળકી મોટર સાયકલની પાછળ બેસીને જતી હતી.ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે તે પડી ગયેલ હોય ઇજા પામતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના પાવડીયારી નજીક આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા સુમિત્રાબેન ગારીડાભાઈ નામની ૨૫ વર્ષની મહિલા સિંદુર પી જતા તેને સારવાર માટે લાવવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવે છે.જ્યારે બાઇક સ્લીપ થવાના બનાવમાં માધવ માનસંગભાઈ સનોડા નામના ચાર વર્ષના બાળકને ઇજા થતાં તેને પણ સારવાર માટે અત્રેની આયુષમાં લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

રફાળેશ્વર પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજા થવાથી ઠાકરશીભાઈ રમેશભાઈ ટીડાણી (૧૮) રહે.ત્રાજપર મોરબી-૨ ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના રાજપર ગામે મારામારીના બનાવમાં ઈજા થતા સીમાબેન મુકેશભાઈ બદ્રકિયા નામના ૪૮ વર્ષીય મહિલાને ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના પાવડીયાની નજીક કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં જતીનભાઇ હરિશ્ચંદ્રભાઇ યાદવ નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે ધોળીધાર વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજા પામતા દિપક દેવકરણભાઈ પાટડીયા (૨૬) રહે.ઘુનડા તા.મોરબીને સારવાર માટે સિવિલ ખસેડાયો હોય બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સુભાષ રામનાથભાઈ નામના ત્રીસ વર્ષના યુવાનને યાર્ડ ખાતે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News