ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં


SHARE











સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે વોલ ટાઇલ્સ એસો. ડિવિઝનના પ્રમુખ બનવા માટે થઈને કુલ ત્રણ કારખાનેદારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે અને તેઓએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને આ ત્રણમાંથી વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખની પસંદગી માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે અને વોલ ટાઇલ્સ એસો.ના સભ્યો દ્વારા મતદાન કરીને પ્રમુખની પસંદગી કરવામાં આવશે.

મોરબીમાં આવેલ વિશ્વકક્ષાના સીરામીક ઉદ્યોગમાં જુદી જુદી પ્રકારની ટાઇલ્સ અને સેનેટરીનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આ જુદા જુદા વિભાગ માટે થઈને મોરબી સિરામિક એસો.માં વોલ ટાઇલ્સ એસો., ફ્લોર ટાઇલ્સ એસો., વિટ્રીફાઈડ એસો. અને સેનેટરીવેર એસો. આમ જુદા જુદા ચાર ડિવિઝન રાખવામાં આવ્યા છે જે પૈકી મોરબી વોલ ટાઇલ્સ એસો.ના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા છેલ્લા ચાર વર્ષ એટ્લે કે બે ટર્મથી કાર્યરત છે અને આગામી 31 માર્ચના રોજ તેઓની ટર્મ પૂરી થઈ રહી છે.

સામાન્ય રીતે સિરામિક એસો.માં ઇલેક્શન કરતા પહેલા સિલેક્શન કરવાનો ઉદ્યોગકારો દ્વારા આગ્રહ રાખવામાં આવતો હોય છે પરંતુ જો એક કરતાં વધુ ઉદ્યોગકારો દ્વારા પ્રમુખ પદ માટે દાવેદારી કરવામાં આવે તો ઇલેક્શન કરવામાં આવતું હોય છે અને મોરબી વોલ ટાઇલ્સ એસો.ના ડિવિઝનમાં પ્રમુખ પદ માટે ચૂંટણી ન યોજાય તેના માટેના પ્રયત્નો કરીને ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન થાય તેના માટે સીરામીક એસો.ના આગેવાનો તથા અન્ય અગ્રણી ઉદ્યોગકારો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે કુલ ત્રણ ઉદ્યોગકારો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે.

જે ઉદ્યોગકારોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા છે તેમાં કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરાનો સમાવેશ થાય છે અને આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય આ ત્રણ ઉમેદવારોમાંથી કોઈએ પણ ફોર્મ ખેંચેલ ન હોય આગામી સમયમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ માટે આ ત્રણ ઉમેદવારોની ચૂંટણી યોજાશે અને તેના માટે મોરબીની આસપાસમાં આવેલા સીરામીક વોલ ટાઇલ્સના 160 થી વધુ કારખાનાના માલિકો કે જે વોલ ટાઇલ્સ એસો.ના સભ્ય હોય તે વોટિંગ કરશે અને મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખને ચૂંટી કાઢશે.






Latest News