ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ


SHARE











મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાન સાથે જમીનનો સોદો કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે યુવાનને જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં 5 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ શીવવીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા (37) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રહે. બગથળા, સંદીપભાઈ માવજીભાઈ મેરજા રહે.મહેન્દ્રનગર, અકીભાઈ શાહ (ઓફિસ : આઇ.બી સી.કોમ્પ્લેક્ષ લખધીરપુર રોડના નાકે વાંકાનેર હાઇવે મોરબી-૨), કેતનભાઇ લાલજીભાઈ સંઘાણી રહે.ઘૂટું તા.મોરબી અને રાજેશભાઈ દેસાભાઇ ચૌહાણ રહે.માણેકવાડા તા.મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે નાની વાવડી ગામે આવેલ ઓમ પાર્ક સામે ફરિયાદી હતા ત્યારે પાંચે આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને તેમને જમીન બતાવી હતી અને ત્યારબાદ જમીનનો સોદો કરાવીને તેઓની પાસેથી રોકડા રૂપિયા 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે, જમીનનો દસ્તાવેજ ફરિયાદીને કરી આપવામાં આવેલ ન હતો જેથી યુવાન સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાનોંદ ધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News