મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રાત્રિના નવા વાગ્યાના અરસામાં રામધન આશ્રમની સામે આવેલ સુપર માર્કેટ કોમ્પલેક્ષમાં એક દુકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને દુકાનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રિના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક કાર સ્પાની બાજુમાં કચરાનો ઢગલામા આગ લાગી હતી અને આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી જેથી તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમને ઘટના સ્થળે પહોંચી હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જો કે, સદ્નસીબે આ બે ઘટનામાં કોઈપણ જગ્યાએ કોઈ જાનહાની થયેલ નથી






Latest News