મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં ડ્રો કરાયેલ મુખ્યમંત્રી આવાસ યોજના ૬૦૮ આવાસોના લાભાર્થીઓને હવે ઘરનું ઘર મળશે ​​​​​​​મોરબીમાં કેસરબાગને ડેવલોપમેન્ટનું કામ ૨૫ ટકા પૂર્ણ મોરબીમાંથી ૧૨ માહિનામાં ૨૬૦૦ ઢોરને મનપાની ટીમે પકડ્યા મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીમાં પી.એમ. કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાની ઉજવણી અન્વયે જિલ્લાના ૭૭ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં ૧૫.૫૬ કરોડ જમા કરાયા મોરબી જિલ્લામાં ડોમેસ્ટિક એલ.પી.જી.નો જથ્થો ઉપલબ્ધ છે, કાળા બજારી કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરશે:કે. બી. ઝવેરી મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ વિકસિત ભારત !: મોરબીના જુદાજુદા વિસ્તારમાં રંગબેરંગી-દુર્ગંધ યુક્ત પાણીનું મહાપાલિકા દ્વારા વિતરણ, લોકોના આરોગ્ય સાથે ચેડા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે દુકાન-કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયરની ટિમ દોડતી

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે રાત્રિના નવા વાગ્યાના અરસામાં રામધન આશ્રમની સામે આવેલ સુપર માર્કેટ કોમ્પલેક્ષમાં એક દુકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને દુકાનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રિના સમયે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક કાર સ્પાની બાજુમાં કચરાનો ઢગલામા આગ લાગી હતી અને આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી જેથી તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમને ઘટના સ્થળે પહોંચી હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જો કે, સદ્નસીબે આ બે ઘટનામાં કોઈપણ જગ્યાએ કોઈ જાનહાની થયેલ નથી




Latest News