સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સારવારમાં


SHARE











મોરબીમાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત બાળક સારવારમાં

મોરબીના શનાળા રોડ સરદાર પાસે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામેલા વિનોદ ગણેશભાઈ સોની (૧૫) રહે.શંકર હાઇટ એવન્યુ પાર્ક સોસાયટી રવાપર રોડને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉમા રેસીડેન્સીમાં રહેતા કાનજીભાઈ છગનભાઈ કાવર નામના ૬૯ વર્ષના વૃદ્ધ ઘર પાસે બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં રસ્તામાં બાઈકમાંથી પડી ગયા હોય ઇજા પામતા તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબી વાવડી રોડ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પરિવારની ખુશી અતુલભાઇ રાવલ નામની ૧૪ વર્ષની યુવતી કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી જતા તેણીને મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને બનાવને પગલે હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.તેમજ મોરબીની સુપર ટોકીઝ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં દીપેશભાઇ નટવરલાલ રાઠોડ (૪૦) રહે.રાવલ શેરી મોરબીને ઇજા થઈ હોય તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

બાળક સારવારમાં

હળવદના ચરાડવા ગામે રહેતા પરિવારનો ક્રીસ જીલાભાઈ રાતડીયા નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે ચરાડવાના દેવળિયા રોડ ખાતે તે બાઈકમાંથી પડી ગયો હોય ઇજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળીયા મિંયાણા ખાતે મોટી બજાર પાસે આવેલ મહંમદશાહની દરગાહએ જતા સમયે બાઈકમાંથી પડી જવાથી શેરબાનુબેન સલીમભાઈ નોબે (૪૩) રહે.શાંતિવન સોસાયટી નવલખી ક્વાર્ટર મોરબીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણા ખાતે રહેતા પરિવારની સાબીયાબાનુ સરફરાજભાઈ કાજડીયા નામની સાત વર્ષની દીકરી સાયકલ લઈને જતી હતી ત્યારે પડી ગઈ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.તેમજ કચ્છ રાપરના બાદરગઢ ગામે રહેતા ઘનશ્યામસિંહ વનુભા જાડેજા નામના ૪૩ વર્ષીય યુવાન ગામની સીમમાં બાઈક લઈને જતા હતા ત્યારે પડી ગયા હોય ઇજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News